કોંગ્રેસ નેતા મણિશંકરના નિવેદન પર રાજકારણ: ભાજપના નેતા ગિરિરાજ સિંહે કહ્યું- પાકિસ્તાન આંખ બતાવશે તો નક્શામાં દેખાશે નહિં
- 10 May, 2024
કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર અય્યરે પાકિસ્તાનને લઈને આપેલા વિવાદાસ્પદ નિવેદન પર રાજકારણ ગરમાયું છે. ભાજપે અય્યરના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ પર સવાલ કર્યા છે. કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે મણિશંકર અય્યરના નિવેદન પર કહ્યું કે આ મુદ્દે રાહુલ ગાંધી માફી માગે.
અય્યર પાકિસ્તાનની ભાષા બોલી રહ્યાં છે. ગિરિરાજ સિંહે કહ્યું કે ભારત શક્તિશાળી છે. જો પાકિસ્તાન આંખ દેખાડશે તો તે નક્શામાં દેખાશે નહિં. કોંગ્રેસના લોકો આતંકવાદીની ભાષા બોલે છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પણ અય્યરના નિવેદન પર વાધો વ્યક્ત કરતા કહ્યું કે આ કોંગ્રેસનો ડર અને ધાક છે. આ પાકિસ્તાન પ્રેમ છે. કોંગ્રેસના નેતા ભારતમાં રહે છે પરંતુ દિલ પાકિસ્તાનમાં છે. પાકિસ્તાનમાં કોઈ દમ જ નથી. ભારતને ખ્યાલ છે કે કઈ રીતે પાકિસ્તાનને સીધુ કરવાનું છે.
કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે મણિશંકર અય્યરના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ ચૂંટણીમાં રાહુલ ગાંધીની કોંગ્રેસની વિચારધાર સંપૂર્ણ રીતે સ્પષ્ટ થઈ ગઈ છે. પાકિસ્તાનને સમર્થન કરો. આતંક સાથે જોડાયેલા સંગઠનોને સમર્થન કરો. મોટા પાયે ભષ્ટ્રાચાર અને પૈસાની લૂંટ કરો.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ